*Whatsapp એ શું છે? તેનો ઉપયોગ કઈ રીતે કરવો?*
મેં જ્યારે વોટ્સએપ નો ઉપયોગ શરૂ કર્યો ત્યારે મારા 450 contact માંથી 17 લોકો જ તેનો ઉપયોગ કરતા.અને રોજ ના 15 કે 20 મેસેજ આવતા.અને એ પણ જરૂરી હોય એવા જ મેસેજ આવતા.આજ કાલ આ એપ ખૂબ જ ઉપયોગી અને અનિવાર્ય બની ગયી છે.એટલે કોઈ પણ વ્યક્તિ તેનાથી અલગ ના રહી શકે.. એટલે જ આપણા whats app માં ઓછા માં ઓછા 20 જેટલા તો ગ્રુપ હોય જ છે... અને દરેક ગ્રુપ માં સરેરાશ 200 મેમ્બેર... એટલે આપણે 4000 કરતા પણ વધુ લોકો ના કોન્ટેક માં છીએ.😳 પણ આજકાલ આ whats app એક પ્રકારનો ત્રાસ આપતું હોય એવું લાગે છે.. રોજે હજારો ગુડ મોર્નિંગ,ગુડ નાઈટ, સુવિચારો નો તો ખજાનો.. સરસ ફૂલો, દેવી દેવતાઓના પુષ્કળ ફોટાઓ,અને કેટલાં તો બિવડાવતા મેસેજ...21 ને મોકલો નહિ તો....... ચોખ્ખી ધમકી.😡 અને હવે બ્લોગર મિત્રો નો ના બ્લોગ ની લિંક,, માહિતી આપવા માટે લિંક નહિ સીધી image કે પછી લખાણ હોવુ જોઈએ.આવી લિંક 250 માંથી માંડ 2 લોકો ખોલતા હોય તો..
મને હવે આવા બધા મેસેજ થી કંટાળો આવે છે.પણ મિત્રોના સમ્પર્ક માં રહેવા માટે whatsaap ને ટાટા નથી કહી શકતો.એટલે હવે હું કેટલાક સમજુ મિત્રો માટે થોડાક મુદ્દાઓ ઉપર ચર્ચા કરવા માગું છું.
1⃣ ગુડ મોર્નિંગ કહેવું જરુરી છે? એ પણ ગ્રુપના બધા મેમ્બર ને? ગ્રુપ ના બધા લોકો તમારા મિત્ર છે? તો તેઓને વ્યક્તિ ગત મેસેજ કે ફોન કરીને ગુડ મોર્નિંગ કહો. પણ મહેરબાની કરીને બીજાને હેરાન ના કરો.
2⃣💐 સુંદર ફૂલો કોને ના ગમે? કોઈ આપણને સુંદર ફૂલો આપે તો સવાર સુંદર બની જાય.પણ લોકો તો હોવે ફોટો જ મોકલે અને એ પણ 5 વર્ષ પહેલાના વાસી😂. પ્લીઝ આવા ફોટો ના મોકલો.બહુ જ લાગણી હોય તો જે તે મિત્રને તેના જન્મદિવસ/લગ્નની વર્ષગાંઠ નિમિતે રૂબરૂ માં ગુલદસ્તો આપો. તે મિત્ર તમારા 1000 ફોટો થી ખુશ ભી થાય એનાથી વધુ એક ફૂલ થી થઈ જશે.
3⃣ હું સવાર સાંજ બંને સમયે પૂજા પાઠ કરું છું દર્શન કરું છું... પણ રોજ વહાટ્સ એપ માં આવતા ધામકીવાળા મેસેજ થી મારા ઈશ્વરનું અપમાન થતું હોય એવું અનુભવું છું. ભક્તિ શ્રદ્ધાભાવથી થાય નહિ કે ધાક ધમકી થી. તમને એવું લાગતું હોય કે ભગવાનનું નામ લેવું છે તો એકાંતમાં બેસી ને 5 માળા ફેરવો મનને શાંતિ મળશે.
4⃣ 📄 તમને જે જરૂરી માહિતી મળે છે જે ફોટો સ્વરૂપે હોય તો તેને બીજા ગ્રુપમાં મોકલતા પૂર્વ તેને ધ્યાનથી વાંચો.પછી વિચારો કે આ ગ્રુપના બધા member ને ઉપયોગી છે? તો જ મોકલો.અને મોકલ્યા પછી નીચે લખો કે આ image માં શુ છે? જેથી જેને જરૂર નથી તેઓ બિન જરૂરી સમય અને નાણાં બચાવી શકે.બધા લોકો જીઓ નથી વાપરતા.
5⃣ breaking news વાળી લિંક ના મોકલો. તમને ઉપયોગી લાગે તો તે લિંક ખોલો.. image download કરો અને પછી image જ મોકલો.એ પણ નીચે લખીને કે શું છે.?
6⃣ અને 2 દિવસથી જુના પરિપત્રો ના જ મોકલો. કોઈ માંગે તો જ મોકલો..
7⃣ કોઈ જ્ઞાતિ કે ધર્મના મેસેજ ના મોકલો.કોઈની ટીકા ટિપ્પણી ના કરો..ધાર્મિક વેરભાવ જાગે તેવા મેસેજ ના જ મોકલો. નેતાઓ ના સાઇબર સેલ ના લોકો પોતાના ફાયદા માટે આવા મેસેજ બનાવીને મોકલતા હોય છે. તેઓને એ કામનો પગાર મળે છે.પણ તમે તેવા નેતાઓના હાથા ના બનો.
8⃣ મોટા મોટા ફાલતુ વિડિઓ ના મોકલો.બધા જીઓ નથી વપરાતા.
9⃣ અફવાઓ ના ફેલાવો.કોઈ પણ મેસેજની ખાતરી કરો પછી જ મોકલો.. સેંકડો મેસેજ ખોટે ખોટા ફરે છે.
આવી ઘણી બધી બિન ઉપયોગી સામગ્રી ફરે છે.એને અટકાવો.અને તમને જરૂરી લાગે તો આ લિસ્ટ માં સૂચનાઓ ઉમેરો અને થોડું પાલન કરવાની કોશિશ કરો.
કોઈ લોકો એ બંધ બેસતી પાઘડી પહેરવી નહિ.
1⃣ ગુડ મોર્નિંગ કહેવું જરુરી છે? એ પણ ગ્રુપના બધા મેમ્બર ને? ગ્રુપ ના બધા લોકો તમારા મિત્ર છે? તો તેઓને વ્યક્તિ ગત મેસેજ કે ફોન કરીને ગુડ મોર્નિંગ કહો. પણ મહેરબાની કરીને બીજાને હેરાન ના કરો.
2⃣💐 સુંદર ફૂલો કોને ના ગમે? કોઈ આપણને સુંદર ફૂલો આપે તો સવાર સુંદર બની જાય.પણ લોકો તો હોવે ફોટો જ મોકલે અને એ પણ 5 વર્ષ પહેલાના વાસી😂. પ્લીઝ આવા ફોટો ના મોકલો.બહુ જ લાગણી હોય તો જે તે મિત્રને તેના જન્મદિવસ/લગ્નની વર્ષગાંઠ નિમિતે રૂબરૂ માં ગુલદસ્તો આપો. તે મિત્ર તમારા 1000 ફોટો થી ખુશ ભી થાય એનાથી વધુ એક ફૂલ થી થઈ જશે.
3⃣ હું સવાર સાંજ બંને સમયે પૂજા પાઠ કરું છું દર્શન કરું છું... પણ રોજ વહાટ્સ એપ માં આવતા ધામકીવાળા મેસેજ થી મારા ઈશ્વરનું અપમાન થતું હોય એવું અનુભવું છું. ભક્તિ શ્રદ્ધાભાવથી થાય નહિ કે ધાક ધમકી થી. તમને એવું લાગતું હોય કે ભગવાનનું નામ લેવું છે તો એકાંતમાં બેસી ને 5 માળા ફેરવો મનને શાંતિ મળશે.
4⃣ 📄 તમને જે જરૂરી માહિતી મળે છે જે ફોટો સ્વરૂપે હોય તો તેને બીજા ગ્રુપમાં મોકલતા પૂર્વ તેને ધ્યાનથી વાંચો.પછી વિચારો કે આ ગ્રુપના બધા member ને ઉપયોગી છે? તો જ મોકલો.અને મોકલ્યા પછી નીચે લખો કે આ image માં શુ છે? જેથી જેને જરૂર નથી તેઓ બિન જરૂરી સમય અને નાણાં બચાવી શકે.બધા લોકો જીઓ નથી વાપરતા.
5⃣ breaking news વાળી લિંક ના મોકલો. તમને ઉપયોગી લાગે તો તે લિંક ખોલો.. image download કરો અને પછી image જ મોકલો.એ પણ નીચે લખીને કે શું છે.?
6⃣ અને 2 દિવસથી જુના પરિપત્રો ના જ મોકલો. કોઈ માંગે તો જ મોકલો..
7⃣ કોઈ જ્ઞાતિ કે ધર્મના મેસેજ ના મોકલો.કોઈની ટીકા ટિપ્પણી ના કરો..ધાર્મિક વેરભાવ જાગે તેવા મેસેજ ના જ મોકલો. નેતાઓ ના સાઇબર સેલ ના લોકો પોતાના ફાયદા માટે આવા મેસેજ બનાવીને મોકલતા હોય છે. તેઓને એ કામનો પગાર મળે છે.પણ તમે તેવા નેતાઓના હાથા ના બનો.
8⃣ મોટા મોટા ફાલતુ વિડિઓ ના મોકલો.બધા જીઓ નથી વપરાતા.
9⃣ અફવાઓ ના ફેલાવો.કોઈ પણ મેસેજની ખાતરી કરો પછી જ મોકલો.. સેંકડો મેસેજ ખોટે ખોટા ફરે છે.
આવી ઘણી બધી બિન ઉપયોગી સામગ્રી ફરે છે.એને અટકાવો.અને તમને જરૂરી લાગે તો આ લિસ્ટ માં સૂચનાઓ ઉમેરો અને થોડું પાલન કરવાની કોશિશ કરો.
કોઈ લોકો એ બંધ બેસતી પાઘડી પહેરવી નહિ.
Tags:
|| Whatsapp ||